આ રસીનો ઉપયોગ માત્ર ખાસ કિસ્સાઓમાં જરુરી છે જેમ કે જ્યારે કોઈ જગ્યાએ મેનિંગોકોકલ મેનિંનજાઈટીસનો ચેપ મહામારી માફક ફેલાયો હોય ત્યારે કે પછી બરોળ ની ખામી ધરાવતા બાળકોમાં...
- જ્યારે કોઈ જગ્યાએ મેનિંગોકોકલ મેનિંનજાઈટીસનો ચેપ મહામારી માફક ફેલાયો હોય ત્યારે એ જગ્યાના રહેવાસી બાળકોને
- કોમ્પ્લીમેંટ દ્રવ્યની ખામી થી ઓછી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા બાળકોમાં
- બરોળ ની ખામી ધરાવતા બાળકોમાં
- સાઉદી અરએબીયા ના હજ યાત્રીઓ માં ફરજીયાત પણે
- ડીસેમ્બરથી જૂન દરમ્યાન આફ્રિકાના ખાસ પ્રદેશોમાં જનારા યાત્રીઓમાં
- જેમના ઘરના કોઈ વ્યક્તિને મેનિંગોકોકલ મેનિંનજાઈટીસનો ચેપ લાગ્યો હોય
- વિદેશની યુનિવર્સિટી માં ભણતર અર્થે જતા વિદ્યાર્થીઓ ખાસ કરીને યુકે/ યુ.એસ.એ
રસીનો પ્રકાર | અજીવ રસી |
---|---|
આપવાની ઉંમર અને ડોઝ | ત્રણ માસથી બે વર્ષ - બે ડોઝ- ત્રણ માસના અંતરે બે વર્ષથી મોટા વ્યક્તિઓને* માત્ર એક ડોઝ (0.5 ml / dose) |
ક્યાં અપાય છે | નાના બાળકોમાં સાથળ માં ઉપરના બાહ્ય ભાગ પર મોટાઓમાં ખભામાં ઉપર બાહરની બાજુએ ડેલ્ટોઈડ સ્નાયુમાં |
કેવી રીતે અપાય છે | 0.5ml ત્વચાની નીચે સ્નાયુમાં (intramuscular) |
* બે વર્ષથી નાની વયે માત્ર ચેપી રોગ મહામારીના સમયમાં અથવા ખાસ કિસ્સામાં જ આપવી જોઈએ |